Saturday, April 25, 2009

Unka Waada Hai

Unka Waada Hai Ki Vo Laut Aayenge,

Esi Umeed Pe Hum Jiye Jayengey,

Ye Intjaar Bhi Unhi Ki Tarah He,

Kar Rahe They, Kar Rahe He Aur Kiye Jayenge...


Khawab Dekhey Bhi Nahi Aur Toot Gaye,

Hum Unse Miley Bhi Nahi Aur Vo Rooth Gaye,

Hum Jagtey Rahe Duniya Soti Rahi,

Ek Barish Hi Thi Jo Sang Hamare Roti Rahi......

 

Aashiq Ankhon Hi Ankhon Me Baat Samaj Lete He,

Sapno Me Milne Ko Mulakat Samaz Lete He,

Rota He Ashma Bhi Jami Ke Liye,

Pagal He Log Usse Barsaat Samaj Lete He......

 

Is dil ka kaha maano ek kaam kar do,

Ek be-naam si mohabbat mere naam kar do,

Merey par faqat itna ehsan kar do,

Ek subha ko milo aur shaam kar do.

 

- Loveable Poet

Wednesday, April 22, 2009

હતાશા અને ગુસ્સાને કાબૂમાં રાખતાં શીખો

હમારે રબ્તે બાહમ કી કહાં તક બાત જા પહુંચી , હકીકત સે ચલી થી, દાસ્હથ્થ્Ž તક જા પહુંચી, ઉઠી દિલ સે યકીને બાહમી પર જિસકી બુનિયાદેં, તાજજુબ હૈ વહી આખિર ગુમાં તક જા પહુંચી.
- જગન્નાથ આઝાદ (રબ્તે બાહમ- પરસ્પરની લાગણી, યકીને બાહમી - એકબીજા પરનો ભરોસો, ગુમાં- ભ્રમ)

હતાશા, નિરાશા, નારાજગી, ગુસ્સો અને ઉશ્કેરાટ માણસ કેવી રીતે વ્યકત કરે છે અને કેટલો કાબૂમાં રાખી શકે છે તેના પરથી જ માણસની હોંશિયારી, આવડત, સમજદારી, ડહાપણ અને મેરયોરિટીનું માપ નીકળે છે. માણસના વર્તન પરથી જ તેનો એટિટયૂડ છત્તો થાય છે.

ન ગમતું કે ન કલ્પેલું કંઇક બને ત્યારે માણસ બેબાકળો થઇ જાય છે. નારાજગીનો રોષ કયારેક જવાળામુખી બનીને ફાટે છે. તડ-ફડ અને એક ઘા ને બે કટકા કરવાની તૈયારી માણસ કરી લ્યે છે. જે થવું હોય તે થાય અને હવે તો ફેંસલો કરી જ નાખવો છે, એવી દાનત માણસ પાસે મોટાભાગે ન કરવાનું કરાવે છે. ભૂલ થઇ ગઇ એવું સમજાય ત્યારે બહું મોડું થઇ ગયું હોય છે. જિંદગીભર પસ્તાવા કરતાં ઇમોશન્સને કંટ્રોલ કરવાની આવડત વધુ ફાયદાકારક છે.

હમણાંનો જ એક દાખલો છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગૃહપ્રધાન ચિદમ્બરમ ઉપર જર્નૈલસિંઘ નામના પત્રકારે બૂટ ફેંકયું. આઇ પ્રોટેસ્ટ બોલીને તેણે પોતાનું બૂટ ફંગોળ્યું. પ્રોટેસ્ટ કે વિરોધ કરવાની આ રીત તેના વિરોધ કરતાં પણ વધુ ધ્ૃણાસ્પદ હતી. સાચી વાત એ છે કે જે ખોટું છે એ ખોટું જ છે. જેમ સનાતન સત્ય હોય છે તેમ સનાતન અસત્ય પણ હોય છે.

દરેક માણસ જિંદગીમાં કયારેક આવી ભૂલ કરી બેસે છે. ઓફિસ અને ઘર વચ્ચે ઝૂલતો માણસ કયારેક ઓફિસનો ગુસ્સો ઘરમાં અને ઘરની નારાજગી ઓફિસમાં ઠાલવે છે. જમતા હોઇએ અને કંઇક બને ત્યારે માણસ થાળીનો છુટ્ટો ઘા કરે છે. ઓફિસમાં ઘણા લોકો ગુસ્સામાં પેપરવેઇટનો ઘા કરે છે. હાથમાં આવ્યું તેનો ઘા કરવાનું અથવા તો ટેબલ પર હાથ પછાડવાનું વલણ કેટલું વાજબી છે એ પ્રશ્ન વિચારવા જેવો છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ સામાન્ય છે.

એવું કોઇ કપલ નહીં હોય જેની વચ્ચે કયારેક નાનો-મોટો ઝઘડો થયો ન હોય. સમાજશાસ્ત્રીઓ તો વળી આવા ઝઘડાને મીઠા ઝઘડા કરાર દઇને સુખી દાંમ્પત્ય જીવનનો આધાર કહે છે. પણ આવા મીઠા ઝઘડા કયારે ખાટા અને તીખા થઇ જાય છે એ નક્કી હોતું નથી. દંપતીઓ વચ્ચેના ઝઘડામાં મોટા ભાગે શું થાય છે? પતિ કે પત્ની મોઢું ચઢાવીને ફરે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે અબોલા એ ઉકેલ નથી. દંપતીઓ વચ્ચે સારી વાત એ હોય છે કે, ઘરમાં એવી ઘટનાઓ બનતી રહે છે કે વાત કરવી જ પડે. આજે જમવાનું શું બનાવું? અથવા તો, તું મારી સાથે આવવાની છે? નાનકડા સંવાદથી સ્નેહનો સેતુ ફરી સંધાઇ જાય છે અને ઝઘડો ભૂલાઇ જાય છે.

ઝઘડો થવો સ્વાભાવિક છે. પણ તમે ઝઘડા વખતે અને ઝઘડા પછી કેવી રીતે રિએકટ કરો છો એ મહત્ત્વનું છે. ક્રિટિકલ સમયમાં તમે કેટલાં કેરિંગ અને કેરફુલ છો તેના પરથી જ તમારા સંબંધની કલેરિટી નક્કી થાય છે. એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં પતિ-પત્ની વચ્ચે એક વખત ઝઘડો થયો. પતિ વારંવાર ગુસ્સે થઇ જતો હતો. પતિને વાત સમજાય પછી તે સોરી કહેતો.

એક વખત પતિએ પત્નીને કહ્યું કે હું તને બહુ પ્રેમ કરું છું એટલે જ મને તારા પર વધુ ગુસ્સો આવી જાય છે. પત્નીએ કહ્યું કે, કેમ પ્રેમમાં ગુસ્સા સિવાય કંઇ આવતું નથી? માણસ મોટા ભાગે પોતાની સૌથી વધુ નજીકની વ્યકિત ઉપર જ સૌથી વધુ ખીજ ઉતારતો હોય છે. આ રીત વાજબી નથી. એક વડીલે નવદંપતીને આશીર્વાદ આપતી વખતે કહ્યું કે, એક આગ થાય ત્યારે બીજો પાણી બની જજો. અલબત્ત, તેમાં પણ જો આગ કાયમ આગ જ થતી રહે અને પાણી કાયમ પાણી જ રહે તો આગ ઠારવામાં જ જિંદગી નીકળી જાય, જીવનની ટાઢકનો અનુભવ કયારેય માણવા ન મળે.

ઘર જેવું જ બીજું સ્થળ છે, ઓફિસ. માણસ જિંદગીનો મોટો ભાગ ઓફિસ કે કામ-ધંધાના સ્થળે વિતાવે છે. દરેક ઓફિસમાં બે-ચાર લોકો એવા હોય છે જેની છાપ સારા અને ડાહ્યા માણસની હોય છે. તમે કયારેય વિચારો છો કે તેની છાપ એવી કેમ છે? કદાચ એટલા માટે કે, સંબંધોને સમજવાની અને જાળવવાની કુનેહ તેનામાં થોડીક વધુ હોય છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, તમે તમારો ઓપિનિયન કહો એ પણ બરોબર છે, સાથોસાથ સામેની વ્યકિતનો ઓપિનિયન સાંભળવાની અને તેની સાર્થકતા તપાસવાની પણ તૈયારી હોવી જોઇએ.

બનવા જોગ છે કે, સામેની વ્યકિત ખોટી પણ હોય. વિરોધ વ્યકત કરવાના હજાર રસ્તા છે. મોટા ભાગે માણસ ખોટો રસ્તો પસંદ કરી લેતો હોય છે. જરૂર લાગે ત્યારે વિરોધ વ્યકત કરવો જ જોઇએ પણ દાનત લડવાની નહીં પણ સાચી વાતને ઉજાગર કરવાની હોવી જોઇએ. માણસથી થતાં થઇ જાય છે પણ સોરી કહી શકતો નથી. અફસોસ થાય તેવું વર્તન ન કરવું એ જ જિંદગી જીવવાની આવડત છે. તમારું આધિપત્ય હોય ત્યાં લોકો કે ઘરના સભ્યો કદાચ તમારા વર્તનને જુલમ સમજીને સહન કરી લેશે પણ તેનાથી તમે સાચા ઠરી જતા નથી. લોકોમાં આપણી છાપ આપણે જ આપણા વર્તનથી ઊભી કરતાં હોઇએ છીએ. તમે વિચારજો કે તમારી છાપ કેવી છે?‘

છેલ્લો સીન

ક્રોધને એક જાતની તાકાત માનનારાઓને એટલું જ કહેવું છે કે, ક્રોધ એ તાકાત નથી પણ તાકાતનો દૂરુપયોગ છે


- Krushnkant Unadkat

- Loveable Poet

કોન્ફિડન્સની કમીનું કમઠાણ..!

નેતાથી માંડીને પ્રજાને અબ કિસી કો કિસ પર ભરોસા નહીં... અબ કહાં જાયેં હમ!?

પેલી એડ જોઈ? આઠ-દસ વર્ષની સહેજ ગોળમટોળ ચહેરો ધરાવતી ચશ્માંધારી છોકરી પપ્પાને પૂછે છે: શું હું રૂપાળી છું? તરત બીજું દ્દશ્ય.

સ્કૂલના કલાસમાં એ છોકરી સાથે વાત કરવાનું તો દૂર રહ્યું, કોઈ એની સામે જોવા તૈયાર નથી. એટલામાં ઢેંગટેડેંગ... પપ્પા એક મસ્ત કાર ખરીદી આવે છે અને કલાસમાં આવીને દીકરીને રીતસર ‘તેડી’ જાય છે. આખી સ્કૂલ કાર જોઈને અંજાઈ જાય છે.

છોકરીનો કોન્ફિડન્સ પળવારમાં ૮૦૦૦થી ૨૧૦૦૦ના સૂચકાંક પર પહોંચી જાય છે અને છોકરી કારની પાછલી સીટમાં પોતે જાણે બ્યુટીકવીન

કિલયોપેટ્રા હોય એવી શાનથી ટાંટિયા લંબાવીને બેસે છે. ઠીક છે, કાર વેચવા માટે આ કીમિયો સારો છે. પણ આ એડ દ્વારા કવિ કહેવા શું માગે છે? એ જ કે સંતાન આત્મવિશ્વાસના અભાવથી પીડાતું હોય તો પપ્પાએ નવી મોંઘી કાર ખરીદીને સ્કૂલે પહોંચી જવાનું. કૂમળાં બાળમાનસ પર આ એડ એવી છાપ પાડે છે કે કોન્ફિડન્સ ‘ખરીદેબલ’ છે, કારના શો રૂમમાં એ વેચાતો મળે છે. છોકરું એ નથી સમજતું કે ફાંકડી કારના જોરે, બાપાના પૈસાના જોરે મળેલું ‘માન’ તો બે-ચાર દિવસ જ ટકવાનું. પણ રમત-ગણિત-ચિત્રકામ વગેરે જે કોઈ ક્ષેત્રમાં એને વિશેષ ફાવટ હોય એ દિશામાં આવડત વિકસાવવામાં આવે તો આત્મવિશ્વાસ આજીવન ટકે.

બીજો કિસ્સો. આ એડ નથી, સત્યઘટના છે. મૈસુરમાં ૨૩ વર્ષના અભિજિત મુખરજીએ ગયા બુધવારે પંખે લટકીને આપઘાત કર્યો. છોકરાને ઇન્ફોસિસ જેવી માતબર કંપનીમાં કમ્પ્યૂટર એન્જિનિયર તરીકે નોકરી મળી ગયેલી. તેની ટ્રેનિંગ ચાલી રહી હતી. એવામાં અચાનક એણે આત્મહત્યા કરી લીધી અને મરતાં પહેલાં મા-બાપને ચિઠ્ઠી લખી: હું તમને પહેલેથી ના પાડતો હોવા છતાં તમે મને પરાણે ઇજનેરી વિધાશાખામાં ધકેલ્યો. હવે આવું બધું (કમ્પ્યૂટર એન્જિનિયરિંગનું) ભણવાનું દબાણ હું વેઠી શકું તેમ નથી.

છોકરાને બારમામાં સારા ટકા આવે એ સારી વાત છે, પણ ‘આટલા ટકા આવે તો આ લાઇન લેવાની’ એ તો કોઈ રીત છે? ભયંકર ગોખણપટ્ટી અને મહામહેનતના જોરે છોકરું બારમામાં ‘વધારે પડતાં’ ટકા લઈ આવે તો ગાડું બહુ બહુ તો કોલેજ સુધી ગબડે. પણ પછી અસલી દુનિયામાં ગોખણપટ્ટી કે રાત રાત જાગીને વાંચવાની મહેનત કામે નથી લાગતી. મુદ્દે, છોકરાની લાઇન ટકાના આધારે નક્કી કરવાની હોય કે પછી એપ્ટિટયૂટ (આવડત, પસંદગી)ના આધારે? પોતાને કઈ લાઇન નહીં જ ફાવે એ વિશે છોકરું જાણતું જ હોય છે. તેની વાત સાંભળો. ન ફાવતી લાઇનથી તેને બચાવો. નહીંતર, લખી રાખો. આગળ જતાં તેના કોન્ફિડન્સનું કચુંબર થવાનું જ છે. આવી સમસ્યાનો સાચો ઇલાજ એ જ છે: આત્મપરીક્ષણ અને આત્મવિશ્વાસ. છોકરાને શું ફાવી શકે તેવું છે, કયાં ક્ષેત્રમાં એ વધુ ‘લાયક’ છે એ વિચારવાને બદલે માત્ર માક્ર્સને ઘ્યાનમાં રાખીને લાઇન પસંદ કરી તો ભારે લોચા પડી શકે.

હવે જરા મોટા ફલક પર આવીએ. કોન્ફિડન્સની તંગી આખા દેશને સતાવે છે.

એક પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મેળવીને સ્થિર સરકાર રચવાની ખાતરી નથી. કયાંથી હોય? અંદરખાને પક્ષો જાણે છે કે એમને દેશમાં ઓછો અને સત્તામાં વધુ રસ છે અને સત્તા મેળવવા માટે તેઓ જનતાની પ્રાંતવાદી, કોમવાદી, નાત-જાતવાદી સંકુચિતતાને ભડકાવીને ગાડું ગબડાવે છે. આવામાં, પ્રજા પણ સારું શાસન આપે એવા નેતા કરતાં પોતાની ‘નાત-જાત-કોમ-પ્રાંત’ના ઉમેદવારને ચૂંટવામાં વધારે રસ લઈને પોતાના જ ‘જાતભાઈ પ્રતિનિધિ’ ચૂંટે તો થાય શું? એ જ કે પંચરંગી પ્રજાના પંચરંગી પ્રતિનિધિઓનો ખીચડો જ સંસદમાં ભેગો થવાનો. પછી સરકાર ઢીલીઢાલી જ રહેવાની. ઉગ્રવાદીઓ ચઢી આવવાના. ચીન આગળ દોડી જવાનું.

તો ઇલાજ શું? ઇલાજ એ જ છે, આત્મપરીક્ષણ અને આત્મવિશ્વાસ.

આત્મવિશ્વાસનું ગણિત બહુ સાદું હોય છે. જયારે સેવવામાં આવતી અપેક્ષા અને અસલી લાયકાત વચ્ચે ગેપ ન હોય ત્યારે કોન્ફિડન્સ આભને આંબે અને જયારે અપેક્ષા-લાયકાત વચ્ચે ખાઈ પહોળી હોય ત્યારે કોન્ફિડન્સ ભાંગી જાય. તો, આપણી અપેક્ષા શું છે? એ જ કે આપણે એક મહાસત્તા બનીએ. અને આપણી લાયકાત શું છે?

વેલ, હજારો વર્ષનો ઇતિહાસ કહે છે કે સરવાળે ભારતીય પ્રજા વિચક્ષણ, સૌમ્ય અને વૈવિઘ્યને પચાવનારી છે. આપણી આ લાયકાતોના જોરે આપણે નેતાઓને કાનપટ્ટી પકડીને એ સમજાવવાનું છે કે બોસ, તમારા રવાડે ચઢીને લડી મરવામાં અમને કોઈ રસ નથી અને બોસ, તમે જો દેશને સર્વાંગી વિકાસના જોરે મહાસત્તા બનાવવા સિવાય ભળતીસળતી વાતોમાં ખૂંપેલા રહેશો તો અમે ચૂંટણીમાં તમારો ભોગ લઈશું. નેતાઓને એટલી ખબર પડી જાય કે પ્રજા તેમની (નેતાઓની) અને પોતાની (પ્રજાની) લાયકાત બરાબર જાણે છે અને એ પ્રમાણેની અપેક્ષા રાખે છે તો નેતાઓએ સીધાદોર થવું જ પડે.

બેઝિકલી ના-લાયક કોઈ નથી હોતું. માટે, પહેલા સાચી લાયકાત જાણો અને પછી સાચી અપેક્ષા રાખો તો બેડો પાર થાય. બાકી આપણે રાખી સાવંત પાસે સ્મિતા પાટિલના અભિનયની અપેક્ષા રાખીએ તો વાંક આપણો ગણાય, રાખીનો નહીં. તો, દેશના મામલે તેમ જ અંગત સ્તરે કોન્ફિડન્સ અનુભવવો હોય તો આત્મપરીક્ષણ કરો. એ જાણો કે આપણી લાયકાત કયાં-કેવી- કેટલી છે અને અને પછી એ પ્રમાણે અપેક્ષા રાખો. આવું કરશો તો તમારે કયારેય કોન્ફિડન્સનો અભાવ નહીં વેઠવો પડે, ગેરંટી.

- (દીપક સોલિયા જાણીતા પત્રકાર અને કટારલેખક છે.)

- Loveable Poet

Related Posts with Thumbnails

पुराने ओल्डर पोस्ट

loveable Poet © 2008 JMD Computer Mo: 91 9825892189